ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 6:11 પી એમ(PM)

printer

અમદાવાદમાં આગામી 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

અમદાવાદમાં આગામી 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમદાવાદમાં વસતા ઉત્તરભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ પૂજા ઘાટ સહિત શહેરમાં 10થી વધારે જગ્યાએ છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પર્વના સૂચરુ આયોજન માટેઘાટની સાફ સફાઇ કરવામાં આવી છે .તેમજ આ પ્રસંગે  આવનાર શ્રદ્ધાળુઓને રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 7 નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાથી આ પૂજાની શરૂઆત થશે જે બીજા દિવસે વહેલી સવારે આઠ વાગ્યા સુધી ચાલશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અંદાજે 25,000થી વધારે લોકો આ ઘાટ ઉપર પૂજા કરવા મટે આવશે.

ઉત્તર ભારતના પૂર્વાંચલ અને બિહારમાં આ ઉત્સવનું મહત્મ્ય વધુ છે,જેમાં ડૂબતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવતી હોય છે. મહિલાઓ ત્રણ દિવસ માટે ઉપવાસ રાખે છે. છેલ્લા દિવસે પાણીમાં ઊભા રહી અને ડૂબતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ આપવામાં આવે છે. આ ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ