અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઇ રહ્યા છે. શ્રી જોષીએ કહ્યું, 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, ચાર પોર્ટુગલના, 30 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ છ નૉનપેસેન્જરનો સમાવેશ થાય છે.
Site Admin | જૂન 19, 2025 8:34 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા. 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા
