ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 7:10 પી એમ(PM) | ધોરીમાર્ગ

printer

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા અંદાજિત 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરવા માટે કુલ 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
વિધાનસભામાં અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી વતી વિગતો આપતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણથી મુસાફરી સમયમાં અંદાજે 30 થી 45 મિનિટ તેમજ વાહનોના ઇંધણમાં 10 થી 15 ટકા સુધી બચત થશે. તેમણે જણાવ્યું કે કુલ 201 કિલોમીટર લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં 193 કિલોમીટર એટલે કે 98 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે.
અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફલાયઓવર-અન્ડરપાસના સ્ટ્રકચરની કામગીરીનો સમાવેશ કરાયો છે, જે પૈકી 34 ફલાયઓવર-અન્ડરપાસ સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ થઈ છે તેમજ 4 સ્ટ્રકચરની કામગીરી પ્રગતિમાં છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરતા વારંવાર અકસ્માત થતા હોય તેવા સ્થળે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ અકસ્માતમાં આશરે 41 ટકાનો ઘટાડો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ