વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ પરંપરાગત દવાઓ, ખાસ કરીને આયુષ પ્રણાલીઓ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIને એકીકૃત કરવાના ભારતના પ્રયાસોને માન્યતા આપી છે.આયુષ મંત્રાલયે WHOના સીમાચિહ્નરૂપ ટેકનિકલ માહિતી “પરંપરાગત દવાઓમાં કૃત્રિમ બુદ્ધિના ઉપયોગનું મેપિંગ” ના ઉલ્લેખને આવકાર્યો હતો અને તેને ભારતની પ્રાચીન આરોગ્ય સંભાળ પ્રણાલીઓ માટે એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો.ભારતની દરખાસ્તને પગલે પરંપરાગત દવાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અંગે WHO એ તેનો પ્રથમ રોડ મેપ તૈયાર કર્યો હતો.કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે, આ માન્યતા ટેકનોલોજી દ્વારા પરંપરાગત દવાઓને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયની પહેલોમાં આયુર્વેદ, સિદ્ધ, યુનાની, સોવા રિગ્પા અને હોમિયોપેથીમાં કૃત્રિમ બુદ્ધિના સાધનોનો સમાવેશ થાય છે, જે પ્રાચીન નિદાનને આધુનિક અલ્ગોરિધમ્સ સાથે જોડે છે.
Site Admin | જુલાઇ 13, 2025 8:49 એ એમ (AM)
WHOએ પરંપરાગત દવાઓ, ખાસ કરીને આયુષ પ્રણાલીઓ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIને એકીકૃત કરવાના ભારતના પ્રયાસોને માન્યતા આપી