જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM)

views 2

વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી

વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પીડા નિવારક, ORS અને સ્નાયુઓને આરામ આપતી દવાઓ સહિતની આવશ્યક દવાઓનો જથ્થો આજે ક્યુબા મોકલવામાં આવ્યો છે.

ડિસેમ્બર 17, 2024 9:38 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:38 એ એમ (AM)

views 5

ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટકેલા વિશાનક વાવાઝોડામાં અનેક લોકોના મોતની આશંકા

ફ્રાન્સના મેયોટ ટાપુ પર વાવાઝોડા ચિડોના કારણે ભારે વિનાશ વચ્ચે અનેક લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધી ત્યાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. વહીવટી તંત્રએ આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે. શનિવારે આ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. એવું માનવામાં આવે છે કે 90 વર્ષમાં આ ટાપુ પર ત્રાટકેલું આ સૌથી ભયાનક તોફાન છે. જેના કારણે દરિયામાં આઠ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. મડાગાસ્કર અ...

ડિસેમ્બર 7, 2024 9:03 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 9:03 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહ વિભાગે વાવાઝોડા ફેંજલથી અસરગ્રસ્ત તામિલનાડુ રાજ્યને આપત્તિ રાહત ફંડમાંથી 944 કરોડ 80 લાખના અનુદાનને મંજૂરી આપી છે.

કેન્દ્રીય ગૃહ વિભાગે વાવાઝોડા ફેંજલથી અસરગ્રસ્ત તામિલનાડુ રાજ્યને આપત્તિ રાહત ફંડમાંથી 944 કરોડ 80 લાખના અનુદાનને મંજૂરી આપી છે. જયારે વિભાગ દ્વારા અન્ય રાજયોમાં નુકશાનીના અહેવાલો મેળવી તે રાજ્યોમાં પણ રાહત ફંડ ફાળવવામાં આવશે. વાવાઝોડાથી થયેલા નુક્શાનનો સર્વે કરવા કેન્દ્રીય ટીમને તામિલનાડુ અને પુડુચેરી રવાના કરાઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ફૈઝલ વાવાઝોડાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તામિલનાડુ રાજ્ય સાથે મક્ક્મતાથી ઉભું છે.