જુલાઇ 15, 2024 2:56 પી એમ(PM) જુલાઇ 15, 2024 2:56 પી એમ(PM)
28
ઓડિશાના પુરીમાં બહુદા યાત્રાની ઉજવણી
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શન ગુંડીચા મંદિરમાં આઠ દિવસ ગાળ્યા પછી તેમના નિવાસસ્થાન શ્રી મંદિર પરત ફરશે. ત્રણેય રથોના પરત ફરવાની આ યાત્રા બહુદા યાત્રા તરીકે ઓળખાય છે. આજે વહેલી સવારથી જ લાખો ભક્તો પુરી અને ગુંડીચા મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પુરીના ગજપતિ દિવ્યસિંહ દેવ લગભગ અઢી વાગ્યે સોનાની સાવરણીથી ત્રણેય રથ પર છેરા પોહરાની વિધિ કરશે. ત્યારબાદ ભક્તો સાંજે 4 વાગ્યે ભગવાન બલભદ્રના પ્રથમ રથ તાલ ધ્વજ ત્યારબાદ દેવી સુભદ્રાના દર્પદલન અને અંતે ભગવા...