ડિસેમ્બર 28, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:24 પી એમ(PM)
3
અરવલ્લી: છારાનગરમાં નશો કરીને વાહનો ચલાવતા લોકો સામે કાર્યવાહી
રાજ્ય પોલીસ દ્વારા નશો કરીને વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા એલસીબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા મોડાસા તાલુકાના છારાનગર ખાતે તપાસ કરવામાં આવી હતી. પોલીસની 10 થી વધારે ગાડીઓ તેમજ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્વારા દરોડા પાડીને પ્રોહીબિશનના ગુનાના છ કેસ કર્યા હતા. આ સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા 9 વાહન ચાલકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે.