ઓક્ટોબર 30, 2024 9:24 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:24 એ એમ (AM)

views 9

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત

રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પહેલી નવેમ્બરે પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરી આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતાં શિક્ષકમિત્રો અને નોકરી ઈચ્છુક યુવાનો માટે પેહલી નવેમ્બરે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરાશે. આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેરબદલીનું પણ આયોજન કરાશે.