જુલાઇ 5, 2024 10:07 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:07 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેમને વિશ્વાસ છે કે, એથ્લેટ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમણે કહ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે આશા રાખી રહ્યાં છે.

જુલાઇ 5, 2024 10:05 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:05 એ એમ (AM)

views 38

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે. આ માટે સરકાર ટૂંક સમયમાં નવી જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ જાહેર કરશે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટીકે રામચંદ્રને એક કાર્યશાળામાં સરકારની આગામી યોજના અંગે વાતચિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો ભારતીય શિપિંગ બજારની જરૂરિયાતોને ભારતીય શિપયાર્ડ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવે તો વર્ષ 2047 સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થાય તેવી સંભાવના છે. વિવ...

જુલાઇ 5, 2024 10:04 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:04 એ એમ (AM)

views 19

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી છે. ઇજિપ્ત અથવા કતારમાં યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇઝરાયેલે નિર્ણય કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સમર્થિત કતારની અને ઇજિપ્તની મધ્યસ્થી અંગે હમાસ દ્વારા સમર્થન આપવાનો પ્રત્યુત્તર આપ્યો હતો. હમાસના આ પ્રતિસાદ બાદ ઇઝરાયેલે પણ વાટાઘાટોમાં ભાગ લેવાની સંમતિ આપી હતી. આ વાટાઘાટો માટે પ્રારંભિક ચર્ચા પછી, પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રતિનિધિમંડળ મોકલવાની મ...

જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM)

views 3

રાજ્યનાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદઃ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

છેલ્લાં પાંચ દિવસથી રાજ્યનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યનાં 100થી વધુ તાલુકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી. પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઇ કાલે સાંજે છથી આઠ દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઇ કાલે સવારે 6 વાગ્યાથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી તિલકવાડા, પંચમહાલ અને વડગામ તાલુકામાં અઢી ઇં...

જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM)

views 12

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત 'પ્રતિભાવ બેઠક' માં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શાળા પ્રવેશોત્સવની સફળત...

જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM)

views 3

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે.. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઈ કાલે અલગ અલગ કાફે, હોટલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 131 એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ 13 નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતા.. આ ઉપરાંત 26 એકમોને નોટિસ ફટકારીને એક લાખ પંદર હજાર વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.. આ ઉપરાંત જે એકમોના ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળવાની ફરિયાદો મળી હતી ત્યા...

જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM)

views 10

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી

જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી બાવળીયાએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીના પ્રશ્નો હોય તે જાણીને તેનું નિવારણ લાવવાની અને જરૂર પડ્યે પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્ક...

જુલાઇ 5, 2024 9:53 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:53 એ એમ (AM)

views 16

આવતીકાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશેઃ સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે

આવતીકાલે ૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે તેમ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ ગઇકાલે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી. શ્રીસંઘાણીએ સહકાર સે સમૃદ્ધિના કાર્યક્રમની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપ...

જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM)

views 3

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે. આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્ષા ન યોજવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળ આ સુનાવણી હાથ ધરાશે. ઉમેદવારોના કહ્યા મુજબ જો આ પરીક્ષા ફરીથી લેવાશે તો મહેનતુ અને પ્રામાણીક વિદ્યાર્થીઓએ અન્યાય...