જાન્યુઆરી 26, 2025 5:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 5:27 પી એમ(PM)

views 5

તેલંગાણા: ટ્રકમાંથી સળિયા રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત

તેલંગાણામાં, લોખંડના સામાનથી ભરેલી એક ટ્રકમાંથી સળિયા બે ઓટો-રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત થયાં હતાં અને છ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. વારંગલ જિલ્લામાં મામુનુરુ હાઇવે નજીક લોખંડના સળિયા ભરીને જઇ રહેલી ટ્રકમાં સળિયાનો બાંધેલુ દોર઼ડુ તૂટી જતા સળિયા પાછળ આવી રહેલી બે ઓટો રિક્ષાઓ ઉપર પડયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આ દરમિયાન, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જિલ્લા અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ આપવા માટે તંત્રને આદેશ કર્યો હતો.

જાન્યુઆરી 26, 2025 1:33 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:33 પી એમ(PM)

views 4

પ્રજાસત્તાક દિવસના અવસર પર તેલંગાણા સરકારે પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી

તેલંગાણા સરકારે પ્રજાસત્તાક દિવસના અવસર પર પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી છે. ખેડૂતોને પાક સહાય, જેમની પાસે જમીન નથી તેવા ખેતમજૂરો માટે વાર્ષિક 12 હજાર રૂપિયા સહાય, રેશનકાર્ડનું વિતરણ, ઇન્દિરમ્મા ઘરો જેવી ચાર યોજનાઓ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કે જણાવ્યું કે, આ યોજનાઓ માટે ગ્રામસભાઓમાં મળેલી બધી અરજીઓનું સંકલન કરાશે અને પાત્ર વ્યક્તિઓને આ યોજનાઓ હેઠળ લાભ અપાશે.