ઓક્ટોબર 6, 2024 7:17 પી એમ(PM)

views 30

ગાંધીનગર: મેયર મીરા પટેલે નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા

ગાંધીનગર શહેરનાં મેયર મીરા પટેલે ગઈકાલે લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા હતા. કોબા ખાતે આવેલી સોસાયટીમાં ગરબા દરમિયાન મેયરે સોસાયટીના લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા તો રાખીએ જ પણ પોતાના જીવનમાં પણ સ્વચ્છતાને અભિન્ન અંગ બનાવીએ તેવો અનુરોધ કર્યો હતો.