ડિસેમ્બર 28, 2024 3:23 પી એમ(PM)

views 25

CM ભુપેન્દ્ર પટેલે ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના જામજોધપુર ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા. ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યોત્સવના સવા સો વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સીદસર ખાતે માં ઉમિયા માતાજીના દર્શન કરી આગેવાનોને મળ્યા હતા. ત્યારબાદ ઉમિયાધામ આયોજિત વિશાળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.