ડિસેમ્બર 14, 2024 1:30 પી એમ(PM)

views 16

RBIએ જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા વધારી

ભારતીય રિઝર્વ બેંકે જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા 1 લાખ 60 હજાર રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ સારી નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ નિર્ણયથી ખેડૂતો પર મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચની અસરમાં ઘટાડો થશે.

ઓક્ટોબર 11, 2024 7:49 પી એમ(PM)

views 28

બેન્ક સિવાયના આર્થિક એકમોને ચૂકવણી સેવાઓમાં જરૂરી સુધારા RBIનો આદેશ

ભારતીય રિઝર્વ બેન્કે ડિજીટલ ચૂકવણી પદ્ધતિનો દિવ્યાંગજનો સરળતાથી ઉપયોગ શકે તે હેતુથી બધી જ બેન્કો અને બેન્ક સિવાયના આર્થિક એકમોને તેમની ચૂકવણી સેવાઓમાં જરૂરી સુધારા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ હેતુથી રિઝર્વ બેન્કે કેન્દ્રિય નાણામંત્રાલય દ્વારા ગત બીજી ફેબ્રુઆરી 2024ના રોજ જારી કરાયેલા દિશાનિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. બેન્કે જણાવ્યું છે કે, જરૂરી સુધારા કરતી વખતે ગ્રાહકોની સલામતીના પાસાને કેન્દ્રમાં રાખવું મહત્વનું છે. રીઝર્વ બેન્કે સૂચિત સુધારા માટે ચોક્કસ સમયના આધારે એક યોજના બનાવવા ...