એપ્રિલ 26, 2025 3:15 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:15 પી એમ(PM)

views 4

જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે અને વિશ્વમાં પણ પોતાની છાપ અંકિત કરે છે. તેમણે કહ્યું કે, આજે દેશના યુવાનો પોતાની મહેનત અને નવીનતાથી વિશ્વને પોતાની ક્ષમતા બતાવી રહ્યા છે કે રાષ્ટ્રમાં કેટલી ક્ષમતા છે. પ્રધાનમંત્રી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવા નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી રોજગાર મેળામાં બોલી રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે, આજે જે યુવાનોને નિમણૂક ...

જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 13

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ...

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.