જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM)

views 17

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાના રથની સોનાની સાવરણીથી પહિંદવિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રી રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્...

જુલાઇ 5, 2024 10:20 એ એમ (AM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રી મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 9 અને 10 તારીખે ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. શ્રી મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેનને મળશે અને ઓસ્...

જુલાઇ 5, 2024 10:16 એ એમ (AM)

views 64

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. એક્ઝિટ પોલે લેબર પાર્ટીને 209ના ફાયદા સાથે 410 બેઠકો મળે તેવો અંદાજ લગાવ્યો છે.. ગઈકાલે હાઉસ ઓફ કોમન્સની ચૂંટણી યોજાઇ હતી. 650 સભ્યોના ગૃહમાં બહુમતી માટે માત્ર 326 બેઠકોની જરૂર છે. એક્ઝિટ પોલમાં વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 131 બેઠકો જીતવાનુ અનુમાન કરવામાં આવ્યુ...

જુલાઇ 5, 2024 10:13 એ એમ (AM)

views 24

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. હાથરસ નાસભાગ દુર્ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. મીડિયા સાથે વાતચીત કરતા અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ છ લોકો આયોજક સમિતિના સભ્યો છે અને સેવાદાર તરીકે કાર્યરત છે. આઈજી માથુરે ઉમેર્યું હતું કે, મુખ્ય આરોપી પ્રકાશ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

જુલાઇ 5, 2024 10:11 એ એમ (AM)

views 25

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે

આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 29 જિલ્લાઓમાં 21 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલે પણ પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ આ જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માજુલી, ધેમાજી અને લખીમપુરની મુલાકાત લીધી...

જુલાઇ 5, 2024 10:10 એ એમ (AM)

views 34

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે એક ચક્રવાત ઉત્તરપૂર્વ રાજસ્થાન પર કેન્દ્રીય થયુ છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમ...

જુલાઇ 5, 2024 10:08 એ એમ (AM)

views 19

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કિરણ પહલને 4 બાય 400 મીટર રિલે ટીમમાં આશ્ચર્યજનક રીતે બાકાત રાખવામાં આવ્યા છે. ગઇકાલે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને રિલે ટીમની 28 સભ્યોની જાહેરાત કરી હતી, જેમાં ભાલા ફેંકમાં પ્રથમ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા, એશિયન રમતોત્સવના ચેમ્પિયન તેજીન્દરપાલ સિંહ, અવિનાશ સાબલે, પારુલ ચૌધરી અને અન્નુ રાનીનો સમાવેશ થાય છે. ભાલા ફેંક ખેલાડી ડી પી મનુ ડોપિંગ બદલ સસ્પેન્ડ થતાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પહેલીથી 11 ઓગસ્ટ દરમિયાન એથ્લેટિક સ્પર્ધા રમા...

જુલાઇ 5, 2024 10:07 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેમને વિશ્વાસ છે કે, એથ્લેટ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમણે કહ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે આશા રાખી રહ્યાં છે.

જુલાઇ 5, 2024 10:05 એ એમ (AM)

views 51

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે

જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે. આ માટે સરકાર ટૂંક સમયમાં નવી જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ જાહેર કરશે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટીકે રામચંદ્રને એક કાર્યશાળામાં સરકારની આગામી યોજના અંગે વાતચિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો ભારતીય શિપિંગ બજારની જરૂરિયાતોને ભારતીય શિપયાર્ડ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવે તો વર્ષ 2047 સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થાય તેવી સંભાવના છે. વિવ...

જુલાઇ 5, 2024 10:04 એ એમ (AM)

views 36

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી છે. ઇજિપ્ત અથવા કતારમાં યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇઝરાયેલે નિર્ણય કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સમર્થિત કતારની અને ઇજિપ્તની મધ્યસ્થી અંગે હમાસ દ્વારા સમર્થન આપવાનો પ્રત્યુત્તર આપ્યો હતો. હમાસના આ પ્રતિસાદ બાદ ઇઝરાયેલે પણ વાટાઘાટોમાં ભાગ લેવાની સંમતિ આપી હતી. આ વાટાઘાટો માટે પ્રારંભિક ચર્ચા પછી, પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રતિનિધિમંડળ મોકલવાની મ...