જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM)

views 15

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઈન્ટરવ્યૂમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની પ્રાથમિકતા છે. SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની 24મી બેઠ...

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 8

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ...

જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM) જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM)

views 9

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામતનો લાભ મળશે. તમામ દળોના પ્રમુખોએ પત્રકારોન સંબોધતા કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને આ અનામત હેઠળ વય મર્યાદામાં છૂટ મળશે. આ માટે તેમને કોઈ શારીરિક પરીક્ષા પણ નહીં આપવાની રહે. CISFના મહાનિદેશક નીના સિંહે ...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 3

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...

જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM)

views 27

CBI એ નીટ-યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ નીટ-યૂજી પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રૉક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે. જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઝારખંડના હઝિરાબાગની એક શાળાના પ્રિન્સિપાલ તેમજ વાઇસ પ્રિન્સિપાલ સામેલ છે. સીબીઆઈ અને વિવિધ રાજ્યોની પોલીસ આ પેપરલીક મામલે દેશવ્યાપી કાવતરાની દિશામાં તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે જુદા જુદ...

જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM)

views 12

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થાને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ નિર્દેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને આવતીકાલે તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી ગુરૂવારે થશે. નીટ યુજી પરિક્ષામાં ગેરરિતી અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યા...

જુલાઇ 9, 2024 10:40 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:40 એ એમ (AM)

views 5

રાજ્યમાં આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે 9 લાખ 27 હજાર 550 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં 10 ...

જુલાઇ 9, 2024 10:37 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:37 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ BRICS, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા સમિટ અને સંયુક્ત રાષ્...

જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM) જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM)

views 33

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરીમાં શારદા નદીમાં મોટાપાયે પાણીની આવક થઈ છે, જેથી કાં...

જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM) જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM)

views 49

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર...