ઓગસ્ટ 5, 2024 10:25 એ એમ (AM) ઓગસ્ટ 5, 2024 10:25 એ એમ (AM)

views 9

રાજ્યમાં ચાદીપુરાના 153 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 57 કેસ પોઝિટીવ મળ્યાં

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 153 જેટલા કેસ નોંધાયેલા છે જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 , અમદાવાદ શહેરમાં 12 અને મહેસાણાનાં નવ કેસ નોંધાયા છે. આજદિન સુધી 57 કેસ પોઝિટીવ છે અને 66 દર્દીઓના મોત થયા છે.. આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવીરહી છે જેમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ, સાત લાખથી વધુ ઘરોમાં મેલિથિયોન પાવડરનું ડસ્ટિંગ કરાયું છે.. રોગચાળાને નિયંત્રણમાં લેવાની તમામ કામગીરી ચાલી રહી છે.

ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM)

views 11

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર કર્યું હતું. 4 મેના રોજ પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરન્સિક તકનિક, AI, CCTV ફૂટ...

ઓગસ્ટ 2, 2024 10:39 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:39 એ એમ (AM)

views 7

ક્રિકેટમાં આજથી ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડે મેચ શ્રેણીનો કોલંબોમાં પ્રારંભ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ દિવસીય ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ શ્રેણીમાં રમશે. આ પૂર્વે ભારતે શ્રીલંકા સામે ટી20 મેચની શ્રેણીમાં ત્રણ શૂન્યથી જીત મેળવી હતી.

ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM)

views 8

ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે દરિયા કિનારેથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી વધુ એક વાર મોટી માત્રામાં માદક પદાર્થો મળી આવ્યા છે. ગઇ કાલે ગીર સોમનાથ SOG, FSL સહિતની ટીમોએ સુત્રાપાડાના ધામળેજ ખાતે દરિયાકિનારાથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે ગઈ કાલે ગીર સોમનાથ એસ.ઓ.જી., પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસના કર્મચારીઓ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે હુડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરીયા કિનારેથી દસ કીલો છસો ગ્રામ બિનવારસી ચરસના પેકેટો જપ...

ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM)

views 7

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ ત્રણ બાળકોનાં મૃત્યુઃ મૃત્યુઆંક વધીને 61 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી છેલ્લાં 24 કલાકમાં વધુ ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 61 થયો છે, જ્યારે નવા આઠ કેસ વધતા અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા વધીને 148 થઈ છે. પોઝીટીવ કેસની સંખ્યામાં પાંચનો વધારો થયો છે. રાજ્યના કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ તપાસ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે. હાલમાં 27 દર્દી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી કુલ 60 દર્દીને રજા આપવામાં આવી છે. અમારા દીવ જિલ્લાના પ્રતિનિધી ભારતી રાવલ...

જુલાઇ 31, 2024 10:58 એ એમ (AM) જુલાઇ 31, 2024 10:58 એ એમ (AM)

views 14

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ એક મહિનામાં 1 લાખ 14 હજારથી વધુ દર્દીને સેવા પૂરી પાડી

છેલ્લાં એક મહિનાથી રાજ્યભરમાં પડી રહેલા વરસાદ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી છે. એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 15 લાખ 37 હજાર લોકોનાં જીવ બચાવ્યા છે અને એક લાખ 42 હજારથી વધુ મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી છે. અત્યાર સુધીમાં 1.62 કરોડથી વધુ લોકોએ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. હાલમાં અંદાજે ચાર હજારથી વધુ કર્મચારીઓ અંદાજે સાતથી સાડા સાત હજાર જેટલા કોલ લે છે. 108ની 800થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિ...

જુલાઇ 29, 2024 10:59 એ એમ (AM) જુલાઇ 29, 2024 10:59 એ એમ (AM)

views 2

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઇ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો. મુંદરા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિંમતનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જંગી જથ્થો જપ્ત કરીને કસ્ટમ અધિકારીઓએ રાજકોટ, ગાંધીનગર તેમજ ગાંધીધામ સુધી તપાસ લંબાવી હતી.

જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM) જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM)

views 9

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. અમારા સંવાદદાંતા જણાવે છે કે, ગઇકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે રાજ્યના 40 ડેમમાં પાણી છલકાયા છે. NDRF ની ટુકડીઓએ ગઇકાલે પૂર અસરગ્રસ...

જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM) જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM)

views 122

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે  તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ ...

જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM) જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM)

views 15

મહીસાગરમાં કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ, ૩ ચીફ ઓફિસરને ડીડીઓએ નોટિસ ફટકારી

મહીસાગરમાં સરવેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ અને ૩ ચીફ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી બાદ પણ મોન્સૂન રિપોર્ટમાં આર. સી. ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા હતા. તેમજ 7 જેટલા પાણીના લાઈન લિકેજ ને નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રિપેર કરવામાં આવ્યા નથી.જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ...