ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM)

views 9

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા ત્રણ ટી-20 વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂ ઝિલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સમૂહ – એ માં છે. જ્યારે સમૂહ – બીમાં બાંગ્લાદેશ, ઇંગ્લે...

ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM)

views 5

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 રૂપિયા 50 પૈસા રૂપિયા મળશે. છેલ્લા એક દાયકામાં વેતનમાં અંદાજે 213 ટકાનો વધારો નોંધાયો છે. શ્રી કુમારે ઉંમેર્યું કે, ‘પ્રધાનમંત્રીએ જ ખાદીની વસ્તુઓ પર 20 ટકા અને ગ્રામોદ્યોગ વસ્તુઓ પર 10 ટકાની છૂટની જાહ...

ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM)

views 6

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક્ઝિટ પૉલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો ઉલ્લંઘન કરનારાઓને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે.

ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મૂ રાજ્ય સરકાર દ્વારા યોજાનારા આદિ ગૌરવ સન્માન સમારોહમાં પણ સહભાગી થશે.

ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM)

views 4

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલય પુત્રી કુમારી શૈલજા સ્વરૂપા માનુ વાહન વૃષભ છે. જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારિણી મા શૈલપુત્રીની નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કર...

ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM)

views 7

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ ૧૫ દિવસ સુધી ડેન્ગ્યુ માટે સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સીઝનલ ફ્લુના કુલ 1614 કેસો નોંધાયા છે જેમાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત...

ઓક્ટોબર 2, 2024 10:53 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 10:53 એ એમ (AM)

views 6

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે. મહારાષ્ટ્રને 1 હજાર 402 કરોડ, આંધ્રપ્રદેશને 1 હજાર કરોડ રૂપિયાથી વધુ, ગુજરાતને 600 કરોડ અને તેલંગાણાને લગભગ 417 કરોડ રૂપિયાની રકમ ફળવાઈ છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા. આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર જેવા પૂર પ્રભાવિત રાજ્યોમાં આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમોને નુકસાનના સ્થળ પર મૂલ્યાં...

ઓક્ટોબર 2, 2024 10:52 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 10:52 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ તાજેતરમાં યુએસમાં ડેલાવેર ખાતે યોજાયેલી ક્વાડ બેઠકમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારતીય ઉપખંડમાં તાજેતરના વિકાસ, ઈન્ડો-પેસિફિક અને યુક્રેનને પણ આવરી લેવામાં આવ્યો હતો.

ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM)

views 8

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં 69.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્રદેશની લોકશાહી ભાવનાને પ્રેરિત કરતી રહેશે. તેમણે આ ચૂંટણી પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીરના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમના નિશ્ચય અને વિશ્વાસને સ્વીકારીને સમર્પિત કરી હતી.

ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79 હજાર 150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-જનમન) હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 40 એકલવ્ય શાળાઓનું ઉદ્ઘાટન પણ કરશે અને 25 એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિનોબા ભાબે યુનિવર્સિટીના કેમ્...