ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 8

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 7

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 5

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...

ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM)

views 4

આજે રજાના દિવસે કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે સાંજે 4:30 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે.. જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે... આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે..

ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM)

views 5

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે. કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓએ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના તેમજ સાતમા પગાર પંચ સહિતની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વીજયસ...

ઓક્ટોબર 3, 2024 11:53 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:53 એ એમ (AM)

views 4

પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું… કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામો સુધી પાણી, રોડ આરોગ્ય સહિતની સુવિધાઓ પહોંચી રહી છે અને ગામડાઓ હવે સમૃદ્ધિનાં માર્ગ તરફ આગળ વધી રહ્યાં છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં મકાનમાં આરોગ્ય સુવિધાઓની સાથે સાથે તેને સંલગ્ન વ્યવસ્થા તેમજ પાર્કિંગ વગેરેથી સુવિધાઓ છે. ખા...

ઓક્ટોબર 3, 2024 11:46 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:46 એ એમ (AM)

views 4

આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે આજથી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની આજથી 07 ઓક્ટોબર સુધી આબુ રોડથી ઉપડતી આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે. જ્યારે 04, 05 અને 06 ઓક્ટોબરના રોજ સાબરમતીથી ચાલતી સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. સાબરમતી-આગ્રા કેન્ટ એક્...

ઓક્ટોબર 3, 2024 11:32 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:32 એ એમ (AM)

views 4

‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું

નવરાત્રી દરમિયાન રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે. આ પેવેલીયનમાં આજથી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાયા છે.. ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ...

ઓક્ટોબર 3, 2024 11:16 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:16 એ એમ (AM)

views 3

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી.

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ગઈકાલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી. નગરપાલિકા પ્રમુખના હસ્તે શ્રેષ્ઠ સફાઇ કામદારને શિલ્ડ, પ્રમાણપત્ર અને ૧૦ હજાર રૂપિયાનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ અને જેતપુર તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ સાથે મ...

ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM)

views 3

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું.

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે, ‘તેમની વાયુસેનાનું અભિયાન યથાવત્ રહેશે.’ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા.’ તેમણે ઇઝરાયેલને કોઈ કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી હતી. દોહામાં કતરના અમીર શેખ તમીમ બિન હમાદઅલ-સાનીની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા પેઝેશ્કિયાને કહ્યું કે, ‘જો ઇઝરાયેલ કાર્યવાહી કરશે તો અમે તેનો કડ...