નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 7

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં તાલીમ અને સહયોગી સત્રો યોજાયા હતા.  BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર "રશિયા-બ્રિક્સ", યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્ર...

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 9

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM) નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 6

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક ...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 7

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત્રો, વર્ચ્યૂઅલ શીખવાની તક અને બંને અભિગમોને સંયોજિત કરતા હાઇબ્રિડ મોડલ્સ સહિત તાલીમ રચનાની વિવિધ શ્રેણી પ્રદાન કરશે. આ કાર્યક્રમોનું ધ્યાન કેટલાક નિર્ણાયક ક્ષેત્રો પર રહેશે. આ સહયોગનો હેતુ માત્ર વ્યક્...

નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 17

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે

નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM)

views 4

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને ગ્રાહકોને વિતરણ સમયે અથવા વપરાશ માટે અયોગ્ય બનતા 40 દિવસ પહેલા ખાદ્ય ચીજવસ્તુઓની લઘુતમ ગુણવત્તા 30 ટકા જાળવી રાખવા જણાવ્યું છે. સત્તાવાળાઓએ ગઈકાલે દિલ્હીમાં ઈ-કોમર્સ એફબીઓ સાથે બેઠક યોજી હતી. આ સભામાં 200 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન, ઇ-કોમર્સ એફબીઓ માટે અનુપાલન આવશ્યકતાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં...

નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM) નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM)

views 8

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન રાજકોટ જિલ્લામાં અને સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડિસા અને વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિય...

નવેમ્બર 13, 2024 9:41 એ એમ (AM) નવેમ્બર 13, 2024 9:41 એ એમ (AM)

views 3

દીપડા પર તપાસ રાખવા માટે વન વિભાગ દ્વારા બચાવવામાં આવેલા દીપડાને તેની પૂંછડીની અંદર ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ લગાવીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે.

જંગલમાં વસતા દીપડા સહિતનાં પ્રાણીઓ માનવ વસતિમાં આવીને હૂમલો કરતા હોવાનાં બનાવો વધી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વન વિભાગે ટેકનોલોજીની મદદથી આ સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. દીપડા પર તપાસ રાખવા માટે વન વિભાગ દ્વારા બચાવવામાં આવેલા દીપડાને તેની પૂંછડીની અંદર ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ લગાવીને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. માઈક્રોચીપ લગાવવાથી જ્યારે ફરી દીપડો પકડાય ત્યારે તેની અવરજવરની તમામ માહિતી જાણી શકાય છે. તાપી જિલ્લાનાં વન વિભાગે છેલ્લાં બે વર્ષની અંદર 60 જેટલી ઇલેક્ટ્રોનિક માઈક્રો...