જાન્યુઆરી 15, 2025 5:57 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 5:57 પી એમ(PM)

views 14

ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંવાદમાં રાજ્યપાલે ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ આપ્યો હતો. રાજ્યપાલે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા નિર્મિત દેશી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલે રાસાયણિક ખેતી...

જાન્યુઆરી 15, 2025 3:21 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 3:21 પી એમ(PM)

views 9

જૂનાગઢ: મરમઠ ગામે પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, જમીનને બિનઉપજાઉ થતી અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે. આ દરમિયાન રાજ્યપાલે રાસાયણિક ખેતી માનવજીવન અને પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ...

જુલાઇ 29, 2024 8:17 પી એમ(PM) જુલાઇ 29, 2024 8:17 પી એમ(PM)

views 5

યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યપાલે 2036 માં રાજ્યના યજમાનપદે થનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે અત્યારથી જ દરેક યુનિવર્સિટીને પોતાના રમત ગમત વિભાગને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ યુવાનોને રમતગમતમાં વિશેષ રૂપે તૈયાર કરવા જણાવ્યુ. આ ઉપરાંત યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવા  પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા અનાજ, શાકભાજી અને ફળફળાદી યુવાનોને મળી રહે તે માટે કોલેજ કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના કામચલાઉ વે...