સપ્ટેમ્બર 3, 2025 8:32 એ એમ (AM) સપ્ટેમ્બર 3, 2025 8:32 એ એમ (AM)

views 11

PM નરેન્દ્ર મોદી આજે સેમિકોમ ઈન્ડિયાની બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં SEMICON India-2025 ખાતે મુખ્ય અધિકારીઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં, ઉદ્યોગ જગતના નેતાઓ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને તેના વિકાસ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદી આ બેઠક દરમિયાન વિશ્વભરના CEOs સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON India-2025 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય સંમેલનનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટરમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ સંમેલનનું ઉદ્ઘાટન કરતી વખતે ...

મે 27, 2025 10:08 એ એમ (AM) મે 27, 2025 10:08 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ, માળખાગત સુવિધાઓ, જળ સંસાધન વ્યવસ્થાપન, આરોગ્યસંભાળ અને મહેસૂલ સેવાઓ સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય શહેરી રહેવા...

મે 26, 2025 10:57 એ એમ (AM) મે 26, 2025 10:57 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે. નાગપુરના ચિંચોલી ખાતે આ પરિસરનું નિર્માણ થઈ રહ્યું છે. ગાંધીનગર NFSUના સંસ્થાપક કુલપતિ ડૉક્ટર જે. એમ. વ્યાસે જણાવ્યું, આ વિશ્વ-વિદ્યાલયના નવા પરિસરથી કૌશલ્ય પ્રાપ્ત ન્યાયસહાયક નિષ્ણાતો તૈયાર થશે. નાગપુર પરિસર વિશ્વ-વિદ્યાલયનું અગિયારમું અને મહારાષ્ટ્રનું પહેલું પરિસર હશે. આ પરિસર તપાસ સંસ્થાઓને મદદરૂપ થશે અને ન્યાયસહાયક ક્ષમતા નિર્માણમાં પણ વધારો કરશે એમ શ્ર...

મે 26, 2025 10:54 એ એમ (AM) મે 26, 2025 10:54 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યમાં 82 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કંડલા પૉર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૉલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યોની ભેટ આપશે. ઉપરાંત તેઓ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પૂરવઠા વ...

મે 22, 2025 11:21 એ એમ (AM) મે 22, 2025 11:21 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂજમાં 31 વિકાસકામોનું 26મીએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મેનાં રોજ ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં 52 હજાર 953 કરોડ રૂપિયાનાં 31 વિકાસકામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોમાં બે હજાર 292 કરોડ રૂપિયાનાં 17 કામોનું લોકાર્પણ તથા 50 હજાર 661 કરોડ રૂપિયાનાં 14 કામોનાં ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીનાં પ્રવાસ પૂર્વે કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા ગઈ કાલે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી....