નવેમ્બર 9, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 9, 2024 7:41 પી એમ(PM)

views 7

ચાલુ નાણાંકીય વર્ષમાં MSMEને છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક અપાયો

કેન્દ્ર સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો–MSMEને ચાલુ નાણાંકીય વર્ષમાં પોણા છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બેંગલુરૂમાં યોજાયેલા MSME અંગેના ખાસ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, MSME માટે 100 કરોડ રૂપિયાનું ચોક્કસ મુદ્દત માટેનું ધિરાણ આપવા અંગેની નવી ધિરાણ બાંહેધરી યોજના ટૂંક સમયમાં મંત્રીમંડળ સમક્ષ રજૂ કરાશે. આ યોજનામાં ત્રીજા પક્ષની બાંહેધરી વિના MSME ને ધિરાણ આપવાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે, MSME ને પ્રોત...