જાન્યુઆરી 15, 2025 5:52 પી એમ(PM)

views 18

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમિત શાહ મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં છ જેટલાં કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. તેઓ નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. 298 કરોડ રૂપિયાન...

ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM)

views 15

મહેસાણા: ધ્રુવી ચૌધરીએ જુડોની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો

અગરતલા ત્રિપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંડર 17 બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી ચૌધરીએ 52 કિલોગ્રામ જુડોની સ્પર્ધામાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જેમાં 29 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધ્રુવી ચૌધરીએ અગાઉ જુડોની સ્પર્ધામાં 3 સુવર્ણ ચંદ્રક 1 રજત 1 કાંસ્ય ચંદ્રક, તેમજ રાજ્યકક્ષાએ પણ ચંદ્રકો મેળવ્યા છે.

ઓક્ટોબર 6, 2024 3:15 પી એમ(PM)

views 14

વિસનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગરબાનો પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાય તે હેતુથી સંસ્થા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે 360 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે મદદ પહોંચાડવામાં આવી છે.

ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM)

views 14

મહેસાણા, અરવલ્લી અને ગીર સોમનાથમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

મહેસાણા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં એક હજાર 418 જેટલી અરજીનો હકારાત્મક નિરાકરણ કરાયું હતું. વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જ્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ એક હજાર 209 જેટલી અરજીનો નિકાલ કરાયો હતો. અરવલ્લીના બાયડ તાલુકાના આમોદરા ગામમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, આરોગ્ય ચકાસણી, જાતિ આવકના દાખલાઓ, પૂરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અન...