ડિસેમ્બર 28, 2024 3:05 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:05 પી એમ(PM)

views 11

માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, રોબોટ કિટની બેટરીમાં વિસ્ફોટ થતાં બાળકને આંખમાં ઇજા

બાળકોને મોબાઈલ અને રોબોટ કીટ આપતા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મહિસાગરના વીરપુર તાલુકાના લાલસર ગામે ધોરણ બે માં ભણતો બાળક રોબોટ કિટ સાથે રમતો હતો ત્યારે અચાનક જ બેટરીમાં વિસ્ફોટ થતાં બાળકને આંખમાં ઇજા થઇ હતી અને તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકને શાળામાંથી રોબોટ કીટ આપી હોવાનું પરિવારે જણાવ્યું હતું. હાલ ઇજાગ્રસ્ત બાળકની સારવાર ચાલી રહી છે.

ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM)

views 7

મહીસાગર: ATM ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 4 લોકોની ધરપકડ; 3.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મહીસાગર જિલ્લામાં ATM કાર્ડની અદલા બદલી કરી લોકો સાથે છેતરપિંડી કરનારા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી 3 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંતરામપુરથી લુણાવાડા તરફ એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કારની તપાસ કરતાં 40 એટીએમ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા રાજ્યના ઝાલોદ, કરજણ અને વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ ATM ચોરી સામે આવી છે. પકડાયેલા આ ચાર ઇસમો ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.

ઓક્ટોબર 6, 2024 6:49 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 6:49 પી એમ(PM)

views 8

મહીસાગર: વીરપુરમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ સિવિલ અદાલત ભવનનું લોકાર્પણ

મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ અંદાજિત 502.81 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સિવિલ અદાલત ભવનનું લોકાર્પણ કર્યું હતું . અદાલતનું આ નવું ભવન ઈ સેવા કેન્દ્ર, મેડિકલ કક્ષ, મહિલા અને બાળકો માટેના વિશેષ કક્ષ સહિતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે. આ પ્રસંગે ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ જણાવ્યું કે, નવા ભવનના નિર્માણથી ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવીન ન્યાય મંદિરના નિર્માણથી લોકોની ઝડપથી...

જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM) જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM)

views 17

મહીસાગરમાં કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ, ૩ ચીફ ઓફિસરને ડીડીઓએ નોટિસ ફટકારી

મહીસાગરમાં સરવેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ અને ૩ ચીફ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી બાદ પણ મોન્સૂન રિપોર્ટમાં આર. સી. ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા હતા. તેમજ 7 જેટલા પાણીના લાઈન લિકેજ ને નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રિપેર કરવામાં આવ્યા નથી.જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ...