ડિસેમ્બર 28, 2024 6:13 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:13 પી એમ(PM)

views 15

મહારાષ્ટ્ર: ખુંખાર નક્સલવાદી દેવા સુમાદો મુદામે આત્મસમર્પણ કર્યું

સત્તાવાળાઓએ સાત લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે એવા ખુંખાર નક્સલવાદી દેવા સુમાદો મુદામે આજે મહારાષ્ટ્રના ગોંદીયા જિલ્લામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લાનો રહેવાસી દેવા નાની વયથી નક્સલવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. ગોદિંયા પોલીસ વડાની અપીલના પગલે તેણે આત્મસમર્પણ કર્યું છે.

ઓક્ટોબર 6, 2024 7:59 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:59 પી એમ(PM)

views 10

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્બુર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થયેલ આગ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, સરકાર આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને મફત સારવારની સુવિધા પણ આપશે. વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના ચેમ્બુરમાં બે માળની ઇમારતના ભોંયતળિયે આવેલી એક દુકાનમાં ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ વાયરિંગને કારણે આ આગ લાગી હતી. અ...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 9

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...