જાન્યુઆરી 26, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:21 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી શંકરાચાર્યોને મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આવતીકાલે સવારે 11:25 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. ગૃહમંત્રી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી ગૃહમંત્રી, બડે હનુમાનજી મંદિર અને અભયવટ ના દર્શન કરશે. આ પછી, તેઓ જુના અખાડામાં મહારાજ અને અન્ય સંતોને મળશે અને તેમની સાથે ભોજન કરશે. ત્યાંથી તેઓ ગુરુ શરણાનંદના આશ્રમમાં જશે અને ગુરુ શરણાનંદ તથા ગોવિંદ ગિરિ મહારાજને મળશે. મુલાકાતના અંતે તેઓ ...

જાન્યુઆરી 18, 2025 2:19 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:19 પી એમ(PM)

views 4

પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે

પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે. આજે સવારે સાડા આઠ વાગ્યે કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું મહાકુંભ નગરમાં જાહેર સંબોધન પ્રણાલી દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું પ્રસારણ સવારે ૮.૩૦ થી ૮.૪૦, બપોરે ૨.૩૦ થી ૨.૪૦ અને સાંજે ૮.૩૦ થી ૮.૪૦ સુધી કરવામાં આવે છે. ન્યૂઝ બુલેટિન ૧૦૩.૫ મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી, ન્યૂઝનએર એપ અને વેવ્ઝ ઓટીટી પ્લેટફોર્મ પર પણ સાંભળી શકાશે. આ ચેનલ 26 ફેબ્રુઆરી સુધી...

જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM)

views 6

મહાકુંભ 2025: 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

ભવ્ય અને દિવ્ય મહાકુંભ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. મહાકુંભનો ભાગ બનવા માટે, 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આમંત્રિત આ પ્રતિનિધિમંડળ આજે પહોંચશે. આ પ્રતિનિધિમંડળ માટે રહેવાની વ્યવસ્થા અરૈલ ખાતે ટેન્ટ સિટીમાં કરવામાં આવી છે. આ પ્રતિનિધિમંડળ આજે મહાકુંભ મેળા વિસ્તારની પણ મુલાકાત લેશે. હેરિટેજ વોક દ્વારા સભ્યોને પ્રયાગરાજના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જોવાની તક મળશે. આવતીકાલે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ત્રિવેણી સંગ...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 10

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 6

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...