ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 14

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM)

views 16

આજે લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા રજૂ કરાશે

લોકસભામાં આજે “એક દેશ એક ચૂંટણી” સંબંધિત 2 ખરડા રજૂ કરાશે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણો સ્વીકારી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. “એક દેશ એક ચૂંટણી”ના સિ...

ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવીને જણાવ્યું છે કે, તેમની સરકારની નીતિઓ દેશની એકતા વધુ મજબૂત બનાવવા માટેની છે. આજે લોકસભામાં બંધારણના 75 નિમિત્તે યોજાયેલા ખાસ ચર્ચા સત્રમાં જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. દેશની એકતા મજબુત બનાવવા એનડીએ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં 370 કલમ નાબુદ કરવી અને એક દેશ – એક વેરો નીતિ અંતર્ગત જીએસટીનો અમલ કર્યો છે. એવી જ રીતે સમગ્ર દેશમાં એક રેશનકાર્ડ, એક દેશ એક ગ્રીડ અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓનો વિકાસ જેવી યોજનાઓ પણ અમલમાં મૂકી છ...

ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM)

views 28

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષ અંગેની ખાસ ચર્ચા આજે પણ જારી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્વિત કરવામાં આવી રહી છે. બંધારણની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સબ કા સાથ સબ કા વિકાસ મંત્રને અપનાવી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, દેશના છ લઘુમતી સમુદાયો માટે કલ્યાણ યો...

ડિસેમ્બર 14, 2024 1:04 પી એમ(PM)

views 17

લોકસભામાં સોમવારે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરાશે

લોકસભામાં સોમવારે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ નીચલા ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં, સરકારે એક દેશ, એક ચૂંટણીના વિચારની શોધ માટે રચાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણોને સ્વીકારી છે, જેનાથી સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તે...