જુલાઇ 29, 2024 11:09 એ એમ (AM)

views 18

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથને જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે આ પહેલને વિવાદોનાં સ્વૈચ્છિક અને સૌહાદભર્યા ઉકેલ માટેના મંચ તરીકે સરખાવી હતી. ન્યાયમૂર્તિ વિશ્વનાથને ઉમેર્યું કે, લોક અદાલતો ન્યાય મેળવવા માટેનું કાર્યક્ષમ અને કિફાયતી માધ્યમ છે.