જાન્યુઆરી 15, 2025 6:10 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:10 પી એમ(PM)
6
જામનગર: પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વાંસજાળિયા ગામે મેજરબ્રિજનું ખાતમુહુર્ત કર્યું
રાજ્ય પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાનાં વાંસજાળિયા ગામે નિર્માણ થનાર મેજરબ્રિજનું ખાતમુહુર્ત કર્યું. છ કરોડ 56 લાખનાં ખર્ચે બનનાર આ બ્રિજ 111.60 મીટર લાંબો અને 12 મીટર પહોળો બનશે. આ બ્રિજ બનવાથી વાંસજાળિયા, તરસાઇ, સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને ફાયદો થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આ બ્રિજ બનાવાથી 45 હજાર લોકોને અવર-જવર કરવામાં સરળતા રહેશે. આ રસ્તો જામનગર જિલ્લાને પોરબંદર જિલ્લા સાથે જોડતો અગત્યનો મુખ્ય જીલ્લા માર્ગ છે. અહી નજીકમાં સતાપર ગામે ધાર્મિક સ્થળ આવેલું હોવાથી પણ અનેક લ...