ડિસેમ્બર 30, 2024 6:30 પી એમ(PM)

views 19

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે.જેને સ્પેડેક્સ મિશન તરીકે ઓળખવવામાં આવે છે. બે ઉપગ્રહો, SDX-01,ને ચેઝર અને SDX-02,ને લક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 66 દિવસના  સમયગાળા સાથે  ટાર્ગેટ અને ચેઝર સેટેલાઇટ બંને એક જ ભ્રમણકક્ષામાં દસથી વીસ કિલોમીટરના અંતરે મૂકવામાં આવશે. અમારા આકાશવાણી બેંગલોરના સંવાદદાતા જણાવે છે કે, આ મિશન  ભારતને ચંદ્ર પર  પોતાનું ભારતીય અંતરીક્ષ સ્ટેશન બનાવવા માટે સક્ષમ બનાવશે જ્યાં સેટેલાઇટ ડોક કરી શકે અને પૃથ્વી પર પરત ફ...

ડિસેમ્બર 30, 2024 2:10 પી એમ(PM)

views 14

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ISRO આજે રાત્રે શ્રી હરિકોટાથી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ISRO આજે રાત્રે શ્રી હરિકોટાથી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. તેનો હેતુ અવકાશમાં યાનને મોકલવાની અને હટાવવાની પ્રક્રિયાનું નિદર્શન કરવાનો છે. આ સાથે આ સફળતા પ્રાપ્ત કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે. ઇસરોનું પ્રક્ષેપણ યાન PSLV-60, જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં બે ઉપગ્રહને 476 કિલોમીટરની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે અને પ્રક્ષેપણ યાન હટાવવાનું પ્રાયોગિક નિદર્શન પણ કરશે. સ્પેડેક્સ મિશન અવકાશમાં ભારતનાં ભાવિ પ્રયત્નોમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રયત્નોમાં ચન્દ્રની સપાટ...

ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM)

views 17

ઇસરો સોમવારે અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ કરશે, આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોમાં ભારત સ્થાન મેળવશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી - ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે. આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે.

ઓક્ટોબર 27, 2024 10:12 એ એમ (AM)

views 34

2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે: ડૉ.જીતેન્દ્રસિંહ

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ.જીતેન્દ્રસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને બાયો ટેકનોલોજી વિભાગ વચ્ચે સમજૂતી કરાર પર કર્યા હતા. શ્રી સિંહે જણાવ્યું હતું કે, 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જે ભારતીય અંતરીક્ષ સ્ટેશન તરીકે ઓળખાશે. ભારતના અવકાશ ક્ષેત્રના ઝડપી વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી મહત્વપૂર્ણ રહી છે. ડૉ.જીતેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, લગભગ 300 સ્ટાર્ટઅપ્સ હવે સ્પેસ અર્થતંત્ર...

ઓક્ટોબર 27, 2024 9:45 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ઈસરોના યોગદાનની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોના યોગદાનની પ્રશંસા કરી છે. ગઈકાલે નવી દિલ્હીના આકાશવાણીના રંગભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024ના અવસર પર એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંદેશમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સ્વતંત્રતા પછી રાષ્ટ્રમાં વિવિધ રજવાડાઓના રાજકીય એકીકરણ દ્વારા સરદાર પટેલ આધુનિક ભારતના શિલ્પકાર છે. રાષ્ટ્રપતિએ એ પણ ઉલ્લેખ કર્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સર...

ઓગસ્ટ 16, 2024 8:01 એ એમ (AM)

views 21

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન – SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન - SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે. પ્રક્ષેપણ પ્રક્રિયા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9.17 કલાકે શરૂ થશે. આ સાથે, નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તે નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે સેવા આપવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હશે. PSLV કરતાં 10 મીટર નાના રોકેટ - SSLV નો ઉપયોગ નાના, ઓછા વજન અને નેનો ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરવા માટે કરવામાં આવશે. SSLV બહુવિધ ઓછા ખર્ચે ઉ...