નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM)

views 9

કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે.- પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે. ગઈકાલે રાત્રે જ્યોર્જટાઉન, ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં શરૂઆતની ટિપ્પણીમાં, શ્રી મોદીએ કહ્યું, કે કોવિડ હોય કે કુદરતી આફતો, ક્ષમતા નિર્માણ કે વિકાસના મુદ્દાઓ.. ભારત CARICOM સભ્ય દેશો સાથે ઊભું રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, આ સમિટ પાંચ વર્ષ પછી યોજાઈ રહી છે અને આ પાંચ વર્ષમાં, વિશ્વએ ઘણા ફેરફારો જોયા છે અને માનવજાતને કેટલીક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્ય...

નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM) નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા હતા. શ્રી મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. નેતાઓએ આબોહવા સ્થિતિસ્થાપકતા, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા જેવા ક્ષેત્રોમાં ભારત-ડોમિનિકા સહકાર માટેની તકોની ચર્ચા કરી. તેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર અંગે પણ ચર્ચા કરી.

નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM) નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM)

views 9

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તબીબી ઉત્પાદનો, જન ઔષધિયોજના, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, ગયાનામાં UPI સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત વચ્ચે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગઈકા...

નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM) નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ગયાનાના જોર્જટાઉન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ 20 વિકાસશીલ દેશોનું જૂથ છે. પ્રધાનમંત્રી CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ મંત્રણામાં આ પ્રદેશ સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધ...

નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM) નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM)

views 25

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે લોકોને કોઈપણ ડર વગર મતદાન કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે અને સાંજે...

નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM) નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાનું વચન આપ્યું હતું. તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલામાં છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પ...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM) નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 6

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક ...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 7

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત્રો, વર્ચ્યૂઅલ શીખવાની તક અને બંને અભિગમોને સંયોજિત કરતા હાઇબ્રિડ મોડલ્સ સહિત તાલીમ રચનાની વિવિધ શ્રેણી પ્રદાન કરશે. આ કાર્યક્રમોનું ધ્યાન કેટલાક નિર્ણાયક ક્ષેત્રો પર રહેશે. આ સહયોગનો હેતુ માત્ર વ્યક્...

નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.