જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1 લાખ 85 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી વર્ષ 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. પ્ર...

જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM)

views 5

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે. અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટના સંચાલન સાથે 15% નો વધારો જોવા મળ્યો છે. તા. 22 ડિસેમ્બર 2024 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) હવાઈ મથક પર 324 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (એટીએમ) સાથે 44,253 મુસાફરોની અવ...

જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM)

views 5

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે એ (સાઇઝના માપ દંડોને આધારે) માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ ર...

જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM)

views 7

એમડી – એમએસ માં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પીજી નીટ પર્સન્ટાઇલમાં ઘટાડો કરાશે

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાની 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે પીજી નીટના પર્સન્ટાઈલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટેગરીમાં 10 પર્સન્ટાઈલ માર્ક ધરાવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. પ્રવેશ માટે 8 જાન્યુઆરીથી આ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની 2101 બેઠકો પરથી બે તબક્કાના ...

જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM)

views 14

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક સફળતાનું વર્ષ બન્યું છે. આ પ્રસંગે રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સ્પ...

જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોં...

જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)

views 8

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા LEADS 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા હતા. રાજ્યએ LEADS સૂચકાંકમાં વર્ષ 2018, 2019 અને 2021માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મંત્રાલય દ્વારા રાજ્યો...

જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM)

views 8

વિજય રૂપાણીને રાજસ્થાનના અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં ચૂંટણી અધિકારી બનાવાયા

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM) જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)

views 6

નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ

નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે 'નવું વર્ષ 2025 મંગલમય' લખી...

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.