જુલાઇ 22, 2024 11:19 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:19 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું નવીદિલ્હી ખાતે ઉદ્ઘઘટન કર્યું. ભારત પહેલીવાર આ બેઠકની યજમાની કરી રહ્યું છે, જે 31 જુલાઈ સુધી ચલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિક ધરોહરોની જાળવણીની દિશામાં ક્ષમતા વિકાસ તેમજ તકનિકી સહાય માટે ઉપયોગમાં લેવાશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે ભંડોળનો ઉપયોગ ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશો માટે થશે. ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા શ્રી મોદીએ...

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM)

views 11

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટીંગ - સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરીત ધોરણે GBRC ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે. અગ્ર સચિવ તથા કમિશનર આરોગ્ય દ્વારા દૈનિ...

જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM) જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM)

views 122

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે  તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ ...

જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM)

views 15

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઈન્ટરવ્યૂમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની પ્રાથમિકતા છે. SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની 24મી બેઠ...

જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM)

views 9

મુંબઇમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક

નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે NCP ના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે બોલતા, શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી. શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં મંડલ કમિશનની ભલામણોના અમલ કરવાના તેમના નિર્ણયનીપણ યાદ અપાવી હતી જેમાં શિક્ષણમાં અને સ્થાનિક ગવર્નિંગ બોડીઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની દરખાસ્ત કરવામાં આવી હતી.

જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ x પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિધ્ધિ હાંસલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે X પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વિશ્વ નેતાઓ કરતા ઘણા આગળ છે 100 મિલિયન ફોલોઅર્સ વટાવ્યા પછી, શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ વાઇબ્રન્ટ માધ્યમ પર આવીને ખુશ છે અને તેમના ફોલોઅર્સ દ્વ...

જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM)

views 13

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે ઘણા સ્થળોએ વાહનવ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઇ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્...

જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM)

views 25

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. NTAએ કહ્યું કે, વિષય નિષ્ણાતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે, જે ઑનલાઇન મળેલા વાંધાઓને ધ્યાને લઈ સત્તાવાર વેબસાઇટ પર ટૂંક...

જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM) જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM)

views 9

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામતનો લાભ મળશે. તમામ દળોના પ્રમુખોએ પત્રકારોન સંબોધતા કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને આ અનામત હેઠળ વય મર્યાદામાં છૂટ મળશે. આ માટે તેમને કોઈ શારીરિક પરીક્ષા પણ નહીં આપવાની રહે. CISFના મહાનિદેશક નીના સિંહે ...

જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM)

views 27

CBI એ નીટ-યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ નીટ-યૂજી પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રૉક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે. જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઝારખંડના હઝિરાબાગની એક શાળાના પ્રિન્સિપાલ તેમજ વાઇસ પ્રિન્સિપાલ સામેલ છે. સીબીઆઈ અને વિવિધ રાજ્યોની પોલીસ આ પેપરલીક મામલે દેશવ્યાપી કાવતરાની દિશામાં તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે જુદા જુદ...