જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM)

views 6

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત – 200થી વધુ લોકો ગુમ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. તેમ જ 200થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. સેનાની ત્રણેય પાંખ, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સંયુક્તપણે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. વાયનાડમાં ચાલી રહેલી 45 રાહત શિબિરમાં 3 હજાર 69 લોકોને રાખવામાં આવ્યા છે. લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યૉર્જ કુરિયને ગઈકાલે રાત્રે વાયનાડ પહોંચી રાહત કાર્યોનું નિરીક્ષણ કરી સેના તેમ જ NDRFના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. કેરળન...

જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM) જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM)

views 14

ભારતીય પેરા સ્વિમર જિયા રાય વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં

ભારતીય પેરા સ્વિમર જિયા રાય ઇંગલીશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં છે. 16 વર્ષનાં દિવ્યાંગ જિયાએ ઇંગલેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સનાં પોઇન્ટે દ લા કોર્ટે-ડ્યુન સુધીનું 34 કિલોમીટરનું અંતર 17 કલાક અને 25 મિનિટમાં કાપ્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ઓપન વોટર પેરા સ્વિમર છે અને ઓપન વોટર સ્વિમિંગમાં વિશ્વ વિક્રમ ધરાવે છે.

જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM) જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM)

views 8

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્યકુમાર ચૌધરીએ કહ્યું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ઘટનાસ્થળે રાહત ટુકડીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર્યું છે.

જુલાઇ 29, 2024 11:09 એ એમ (AM) જુલાઇ 29, 2024 11:09 એ એમ (AM)

views 5

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથને જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે આ પહેલને વિવાદોનાં સ્વૈચ્છિક અને સૌહાદભર્યા ઉકેલ માટેના મંચ તરીકે સરખાવી હતી. ન્યાયમૂર્તિ વિશ્વનાથને ઉમેર્યું કે, લોક અદાલતો ન્યાય મેળવવા માટેનું કાર્યક્ષમ અને કિફાયતી માધ્યમ છે.

જુલાઇ 29, 2024 11:06 એ એમ (AM) જુલાઇ 29, 2024 11:06 એ એમ (AM)

views 7

કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રીઓની પરિષદને સંબોધી રહ્યા હતા. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા અને વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને અમિત શાહે હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વા...

જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM) જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM)

views 23

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફાઈનલ મેચમાં પ્રથાને રજત ચંદ્રક મળ્યો હતો.

જુલાઇ 28, 2024 7:55 એ એમ (AM) જુલાઇ 28, 2024 7:55 એ એમ (AM)

views 125

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન...

જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM) જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM)

views 7

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરનાં રોજ કુડાલથી સવારે 4.30 કલાકે ઉપડશે. તો અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સાંજે ચાર કલાકે ઉપડશે. અને મેંગલુરુ-અમદ...

જુલાઇ 27, 2024 8:31 એ એમ (AM) જુલાઇ 27, 2024 8:31 એ એમ (AM)

views 137

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્...

જુલાઇ 22, 2024 11:23 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:23 એ એમ (AM)

views 6

સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ, નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2023-24 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ દસ્તાવેજ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રાલયે લખ્યું છે કે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ મુખ્ય આર્થિક સલાહકાર આજે બપોરે પત્રકારોને સંબોધન કરશે. આર્થિક સર્વેક્ષણ એ દેશની અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ હોવાની સાથે ભવિષ્યના વિકાસનો અંદાજ આપે છે. ઉપરાંત અર્થતંત્રની સ્થિતિ, શક્યતાઓ તેમ...