જાન્યુઆરી 26, 2025 1:55 પી એમ(PM)

views 12

શ્રીલંકાએ ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું

શ્રીલંકાએ એક ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મન્નાર અને પૂનરીમાં અદાણી સમૂહને અપાયેલી 484 મેગાવૉટ પવનઊર્જા પરિયોજનાને રદ કરવામાં આવી છે. એક વિશેષ સંવાદદાતા સંમેલનમાં શ્રીલંકાની મંત્રીમંડળના પ્રવક્તા ડૉ. નલિન્દા જયથિસાએ સ્પષ્ટતા કરી કે, સરકારે માત્ર વિજળી ખરીદી સમજૂતી કરાર સંબંધિત મંત્રીમંડળના નિર્ણયને રદ કર્યો છે. તેમણે કહ્યું, હવે આ પરિયોજનાની સમીક્ષા કરવા અને તેની સાથે જોડાયેલી ચિંતાઓ દૂર...

જાન્યુઆરી 15, 2025 7:45 પી એમ(PM)

views 15

ભારત અને શ્રીલંકા વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર

ભારત અને શ્રીલંકાએ, બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવતા, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના પોલીસ સ્ટેશનોને 80 સિંગલ કેબ સપ્લાય કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા અને શ્રીલંકાના જાહેર સુરક્ષા સચિવ D.W.R.B. સેનેવિરત્ને દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલનો હેતુ નાગરિકોની સલામતી વધારવા અને કાયદાના અમલીકરણમાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ શ્રીલંકામાં ભારતના વ્યાપક લોકો-કેન્દ્રિત વિકાસ સહયોગ પ્રયાસોનો એક ભાગ છે, જે આવાસ, આરોગ્ય, શિક્ષણ અને...