સપ્ટેમ્બર 3, 2025 8:52 એ એમ (AM)

views 9

રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા વધારવા 70 નવીન બસોનું લોકાર્પણ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે ઉત્તર ગુજરાતની મુલાકાત દરમિયાન મહેસાણા ખાતે રાજ્ય, માર્ગ વાહનવ્યવહાર નિગમની નવી 70 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે લાખો માઈભક્તોની સુવિધા માટે 5 હજાર 500 વધારાની બસોના સંચાલનનો શુભારંભ કરાયો. આ બસો 7 સપ્ટેમ્બર સુધી દોડવાશે, જેમાં અંબાજી, ગબ્બર, દાંતા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોને જોડતી બસ સેવાઓનો સમાવેશ થાય છે. અન્ય 55 મિની બસો ગબ્બર, દાંતા અને પાલનપુર જેવા મુખ્ય સ્થળોને જો...

જુલાઇ 9, 2025 9:59 એ એમ (AM)

views 15

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ સમીક્ષા બેઠક યોજી હતી..એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવા બદલ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવીને સ્થાનિક પોલીસને પણ એનડીપીએસના કેસ કરવા સૂચના અપાઈ હતી.. Guj CTOC હેઠળ માત્ર પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કડક કેસ કરવા બદલ મંત્રીએ સરાહના કરી હતી.. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી કામગીરી ઐતિહાસિક હોવાનું જણાવીને આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ ર...

મે 9, 2025 7:19 પી એમ(PM)

views 12

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી સંઘવીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તુટે તેવા લખાણો પોસ્ટ કરનાર લોકો સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે દેશ વિરોધી પોસ્ટ મૂકનાર 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાચી માહિતી જિલ્લા તંત્ર તરફથી આપવામાં આવશે માટે નાગરિકોને અફવાથી દૂર રહેવા પણ તેમણે જણાવ્યું.

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 10

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 17

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...

ડિસેમ્બર 14, 2024 6:59 પી એમ(PM)

views 15

સુરત: વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ 10 વોલ્વો બસને પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે 10 નવિન હાઈટેક વોલ્વો બસોને સુરત ખાતે ફલેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત બે બસો, સુરતથી નહેરૂનગર, નહેરૂનગરથી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં દોડશે. આ નવીન બસોમાં 47 સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, આ નવિન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે. એન્જીન કંમ્પાર્ટમેન્ટમાં ફાયર ડીટેકટશન અને સપ્રેસન સિ...

ઓક્ટોબર 30, 2024 9:32 એ એમ (AM)

views 16

દિવાળી અને છઠ પૂજા દરમિયાન ST વિભાગ બીજી નવેમ્બર સુધી વધારાની 2200 બસ દોડાવશે

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના એસ.ટી. વિભાગ દ્વારા વધુ 2,200 બસ દોડાવીને આઠ હજાર વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકે તે માટે એસ.ટી. વિભાગના 11 હજાર જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પણ એસ.ટી. નિગમના તમામ કર્મચારીઓને તેમની સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી લાભપાંચમથી અગિયારસ દરમિયાન પણ વધારાની ટ્રીપનું સંચાલન કરાશે. રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે “એસટ...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 26

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...