ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

views 6

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. પિતાની છત્ર છાયા ગુમાવનારી 111 દિકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા. સતત 15 વર્ષથી સમૂહ લગ્નના આ કાર્ય કરીને મહાદાન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે 16માં લગ્ન સમૂહમાં સામજિક સમરસતાના વાહક બન્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સુરત જવા માટે મુખ્યમંત્રી પર્યાવરણ મંત્રી મૂળભાઇ બેરા સાથે વંદેભારત ટ્રેનમાં ગાંધીનગરથી મુસાફરી કરીને સુરત પહોંચ્યા હતા. સંતો મહંતોની ...

ડિસેમ્બર 14, 2024 2:33 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:33 પી એમ(PM)

views 4

“તેરા તુજ કો અર્પણ”: બે વર્ષમાં 180 કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

“તેરા તુજ કો અર્પણ”ના બે વર્ષમાં 2,802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે 180 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો. મંદિર ચોરીના 65 ગુનાઓ ઉકેલીને 130 આરોપીઓને પકડવામાં આવ્યા તેમજ 1 કરોડ 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં પોલીસને સફળતા મળી હતી. પોતાની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મેળવવા મૂળ માલિકોએ હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ-લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ...

ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1 લાખ 94 હજાર ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42 ટકા પંચાયતોમાં મહિલાઓની આગ...

ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM)

views 7

રિવરફ્રન્ટ ખાતે રૂ. 750 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતેનાં ઇવેન્ટ સેન્ટર પાસેનાં પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્...

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 9

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 1

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 7

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે. સિંહે ...

નવેમ્બર 27, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 27, 2024 8:54 એ એમ (AM)

views 6

અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી

અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 470થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. જેની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો છે. કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે 21 હજાર 223 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી 1685 લોકોને મેમો આપવામાં આવ્યા હતા. તેમજ એક જ રાતમાં 12 લાખ 82 હજાર 200 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો અને 1700થી વધુ વાહનો ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.

નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM) નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM)

views 9

ખાનગી શાળાઓ બાળકોને ચોક્કસ રંગની સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરી શકે : પ્રફુલ્લ પાનશેરિયા

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, હલકી ગુણવત્તાનું કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ. જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષ...

નવેમ્બર 22, 2024 9:29 એ એમ (AM) નવેમ્બર 22, 2024 9:29 એ એમ (AM)

views 9

રાજ્યની 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ

રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીથી લઇને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને પુરવઠા અધિકારીઓની નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં દોઢ બે વર્ષથી પાલિકા-પંચાયતની ચૂંટણી સ્થગિત છે. ચૂંટણી અધિકારીઓની ...