જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 1

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...

જુલાઇ 9, 2024 10:40 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:40 એ એમ (AM)

views 2

રાજ્યમાં આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે 9 લાખ 27 હજાર 550 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં 10 ...

જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM) જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM)

views 1

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાના રથની સોનાની સાવરણીથી પહિંદવિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રી રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્...

જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM)

views 1

રાજ્યનાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદઃ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

છેલ્લાં પાંચ દિવસથી રાજ્યનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યનાં 100થી વધુ તાલુકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી. પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઇ કાલે સાંજે છથી આઠ દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઇ કાલે સવારે 6 વાગ્યાથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી તિલકવાડા, પંચમહાલ અને વડગામ તાલુકામાં અઢી ઇં...

જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM)

views 10

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત 'પ્રતિભાવ બેઠક' માં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શાળા પ્રવેશોત્સવની સફળત...

જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM)

views 1

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે.. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઈ કાલે અલગ અલગ કાફે, હોટલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 131 એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ 13 નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતા.. આ ઉપરાંત 26 એકમોને નોટિસ ફટકારીને એક લાખ પંદર હજાર વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.. આ ઉપરાંત જે એકમોના ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળવાની ફરિયાદો મળી હતી ત્યા...

જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM)

views 8

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી

જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી બાવળીયાએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીના પ્રશ્નો હોય તે જાણીને તેનું નિવારણ લાવવાની અને જરૂર પડ્યે પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્ક...

જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM)

views 1

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે. આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્ષા ન યોજવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળ આ સુનાવણી હાથ ધરાશે. ઉમેદવારોના કહ્યા મુજબ જો આ પરીક્ષા ફરીથી લેવાશે તો મહેનતુ અને પ્રામાણીક વિદ્યાર્થીઓએ અન્યાય...