જુલાઇ 26, 2024 8:56 એ એમ (AM) જુલાઇ 26, 2024 8:56 એ એમ (AM)

views 11

રાજયમાં કરાર આધારિત 1,110 તબીબોની સરકારી હોસ્પિટલમાં નિમણૂંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બનાવવા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોની નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ બજાવશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ જિલ્લા હોસ્પિટલમાં ૧૩૨, ૫૧ પેટા જિલ્લા હોસ્પિટલમાં ૧૧૯, ૨૨૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૧૦, ૪૯૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની કુલ ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબ...

જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM) જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM)

views 7

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. અમારા સંવાદદાંતા જણાવે છે કે, ગઇકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે રાજ્યના 40 ડેમમાં પાણી છલકાયા છે. NDRF ની ટુકડીઓએ ગઇકાલે પૂર અસરગ્રસ...

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM)

views 10

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટીંગ - સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરીત ધોરણે GBRC ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે. અગ્ર સચિવ તથા કમિશનર આરોગ્ય દ્વારા દૈનિ...

જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM) જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM)

views 14

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ચાંદીપુરા વાઈરસ અને એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે, AES કેસની સમીક્ષા કરી હતી.  ચાંદીપુરા વાઈરસ અને AESના કેસની સ્થિતિની ચર્ચા અને સમીક્ષા બાદ નિષ્ણાતોએ ગુજરાતમાં નોંધાયેલા AES કેસના વ્યા...

જુલાઇ 20, 2024 11:50 એ એમ (AM) જુલાઇ 20, 2024 11:50 એ એમ (AM)

views 8

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કોસ્મેટિકના લાયસન્‍સ વગર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇ પણ પ્રકારની જ્યોતિષી કરવા માટેની ડિગ્રી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પ...

જુલાઇ 20, 2024 9:22 એ એમ (AM) જુલાઇ 20, 2024 9:22 એ એમ (AM)

views 9

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ 28 કેસ નોંધાયા, સુરત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બનાવાયું

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં વધુ 28 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 58 થઈ છે.  બે દિવસમાં કેસો વધીને બમણા થયા છે. સૌથી વધુ આઠ કેસો સાબરકાંઠામાં નોંધાયા છે. પંચમહાલમાં સાત, જામનગરમાં પાંચ, અરવલ્લીમાં ચાર, મહિસાગર, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં બે કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં વાયરલ એનકેફેલાઇટીસનાં શંકાસ્પદ કેસોની સમીક્ષા કરી હતી. આ પ્...

જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM) જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)

views 9

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અ...

જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM) જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM)

views 2

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્ર...

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 8

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ...

જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM)

views 24

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. NTAએ કહ્યું કે, વિષય નિષ્ણાતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે, જે ઑનલાઇન મળેલા વાંધાઓને ધ્યાને લઈ સત્તાવાર વેબસાઇટ પર ટૂંક...