સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 9

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...

સપ્ટેમ્બર 26, 2024 12:32 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 12:32 પી એમ(PM)

views 3

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે.

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને રેલ્વે સ્ટેશન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણના કેન્દ્ર બની રહેશે. દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સ્થળોની મુલાકત લઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવે કેટરિં...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

સપ્ટેમ્બર 26, 2024 11:33 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 11:33 એ એમ (AM)

views 4

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે.

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટ તેમજ ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 100 ગિગાવોટ સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી અંદાજિત 300 મેગાવોટના પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ શકશે અને આગામી ચાર વર્ષમાં જાહેર ઉપયોગમાં બે ગીગાવૉટના નવા પ્રોજેક્ટ પણ કાર્યરત થશે. જેનાથી અંદાજિત એક લાખ જેટલા પ્ર...

સપ્ટેમ્બર 26, 2024 11:23 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 11:23 એ એમ (AM)

views 8

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.આ માટે ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન કોટ-એલી અને નિગમની વેબસાઇટ www.cotcorp.org.inની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ખેડૂતો અમદાવાદ ખાતેની શાખાનો સંપર્ક કરી શકે છે તેમ નિગમની યાદીમાં જણાવાયું છે.

સપ્ટેમ્બર 26, 2024 11:16 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 11:16 એ એમ (AM)

views 2

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી

રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જે-તે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાના ઝોનલ અધિકારીઓને દર 15 દિવસે બેઠક કરીને ટ્રાફીકના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ માટે તાકીદ કરી હતી. ગઇ કાલે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોજાયેલી બેઠકમાં શ્રી સંઘવીએ દર મહિને આ ચારેય મહાનગરના પોલીસ ...

સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM)

views 9

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિવિધ 32 જેટલા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ સ્થળોના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબીનું તત્વ જોવા મળ્યું ન હતું, તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ...

સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM)

views 7

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...

સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM)

views 7

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABARDના આર્થિક સહયોગથી અને દીપક ફાઉન્ડેશન અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિ, કુકરદાના સહયોગથી ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ કુકરદા, તરોલ, પિસાયતા અને સાંકળ ગામોમાં સહિયારી અને ખાનગી જમીનના ધોવાણ અટકાવવા ...

સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM)

views 5

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી મળે છે તેના સમયમાં વધારો કરીને 12 કલાક વિજળી આપવામાં આવે તેવી રજૂઆત ક...