જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 28

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...

ઓક્ટોબર 30, 2024 9:32 એ એમ (AM)

views 44

દિવાળી અને છઠ પૂજા દરમિયાન ST વિભાગ બીજી નવેમ્બર સુધી વધારાની 2200 બસ દોડાવશે

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના એસ.ટી. વિભાગ દ્વારા વધુ 2,200 બસ દોડાવીને આઠ હજાર વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકે તે માટે એસ.ટી. વિભાગના 11 હજાર જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પણ એસ.ટી. નિગમના તમામ કર્મચારીઓને તેમની સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી લાભપાંચમથી અગિયારસ દરમિયાન પણ વધારાની ટ્રીપનું સંચાલન કરાશે. રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે “એસટ...