ઓક્ટોબર 11, 2024 8:00 પી એમ(PM)

views 13

અમદાવાદ: ચાંગોદર પાસેથી 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા જપ્ત

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેડાં કરનારા તત્વો સામે વ્યાપક તપાસ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના ચાંગોદર પાસે ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા પાડવામા આવેલા દરોડામાં 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા અને પેક કરેલા ઘીના પાઉચ ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન 37 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજ્યભરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ જુદાજુદા જિલ્લાઓમાં કામગીરી કરી રહી છે જેમાં તેલ ઘી મસાલાઓ મીઠાઈ અને માવો ...