ઓક્ટોબર 11, 2024 8:00 પી એમ(PM)

views 16

અમદાવાદ: ચાંગોદર પાસેથી 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા જપ્ત

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેડાં કરનારા તત્વો સામે વ્યાપક તપાસ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના ચાંગોદર પાસે ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા પાડવામા આવેલા દરોડામાં 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા અને પેક કરેલા ઘીના પાઉચ ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન 37 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજ્યભરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ જુદાજુદા જિલ્લાઓમાં કામગીરી કરી રહી છે જેમાં તેલ ઘી મસાલાઓ મીઠાઈ અને માવો ...

ઓક્ટોબર 11, 2024 3:30 પી એમ(PM)

views 24

રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા, બે કરોડનો અખાદ્ય જથ્થો જપ્ત

રાજ્યભરમાં તહેવારોની મોસમ દરમિયાન ખોરાક અને ઔષધ તંત્ર દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત છેલ્લા 6 દિવસ દરમિયાન રાજયમાં અલગ અલગ જગ્યાઓ પર કરેલી રેડમાં કુલ પોણા બે કરોડ રૂપિયાનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે રાજકોટ માં AVN પ્રોડક્ટ લોધીકા માથી 15 હજાર 442 કિલો ઘી અને ભાવનગરના પાલીતાણા માંથી 4 હજાર 684 કિલો તેજાના અને મસાલા જપ્ત કર્યાં હતા.