જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 6

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

ડિસેમ્બર 28, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:55 પી એમ(PM)

views 11

ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર મૌખિક ફરિયાદ નોંધાવી શકશે

25 ડિસેમ્બર સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને ઉપયોગી થાય તે માટે સીએમઓની વેબસાઇટ પર “રાઇટ ટુ સીએમઓ” માટે સ્પીચ ટુ ટેકસ્ટ સુવિધાને સજ્જ કરનાર SWAR પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ભાષિણી ટીમ સાથે મળીને ભાષાના અવરોધો દૂર કરી ટેક્નોલોજીના ઉપયોગથી આ પ્લેટફોર્મ વિકસાવાયું છે. જેના થકી હવે ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. ઉલ્લેખનીય છ...

ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 9

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

જુલાઇ 31, 2024 10:58 એ એમ (AM) જુલાઇ 31, 2024 10:58 એ એમ (AM)

views 16

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ એક મહિનામાં 1 લાખ 14 હજારથી વધુ દર્દીને સેવા પૂરી પાડી

છેલ્લાં એક મહિનાથી રાજ્યભરમાં પડી રહેલા વરસાદ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી છે. એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 15 લાખ 37 હજાર લોકોનાં જીવ બચાવ્યા છે અને એક લાખ 42 હજારથી વધુ મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી છે. અત્યાર સુધીમાં 1.62 કરોડથી વધુ લોકોએ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. હાલમાં અંદાજે ચાર હજારથી વધુ કર્મચારીઓ અંદાજે સાતથી સાડા સાત હજાર જેટલા કોલ લે છે. 108ની 800થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિ...