ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM)

views 7

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ ત્રણ બાળકોનાં મૃત્યુઃ મૃત્યુઆંક વધીને 61 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી છેલ્લાં 24 કલાકમાં વધુ ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 61 થયો છે, જ્યારે નવા આઠ કેસ વધતા અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા વધીને 148 થઈ છે. પોઝીટીવ કેસની સંખ્યામાં પાંચનો વધારો થયો છે. રાજ્યના કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ તપાસ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે. હાલમાં 27 દર્દી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી કુલ 60 દર્દીને રજા આપવામાં આવી છે. અમારા દીવ જિલ્લાના પ્રતિનિધી ભારતી રાવલ...

જુલાઇ 31, 2024 11:00 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:00 એ એમ (AM)

views 14

 રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ શંકાસ્પદ કેસની સંખ્યા 137 પર પહોંચી, અત્યાર સુધીમાં 56 દર્દીના મોત

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, વાઈરલ એન્કેફેલાઈટીસના શંકાસ્પદ કુલ કેસની સંખ્યા 137 એ પહોંચી છે. આમાંથી કુલ 51 કેસ પોઝિટિવ મળ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઈરસના કારણે 56 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 29 દર્દી સારવાર હેઠળ તો 52 દર્દીને રજા આપવામાં આવી છે. આરોગ્યની ટુકડી પણ પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના ઘરે અને આસપાસના વિસ્તારના ઘર મળી કુલ 45 હજાર 215 ઘરમાં દેખરેખની કામગીરી કરી રહી છે. પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત બાળકો પૈકી સાત બાળકના મૃત્યુ નિપજવા ઉપરાંત ચાંદ...

જુલાઇ 29, 2024 11:01 એ એમ (AM) જુલાઇ 29, 2024 11:01 એ એમ (AM)

views 13

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 131 થઈ, મૃત્યુઆંક 53 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 53 થયો છે અને વધુ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 131 થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીનાં કુલ કેસોમાં સૌથી વધુ 15 કેસ પંચમહાલમાં નોંધાયા છે. જ્યારે સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં 12-12 અને અરવલ્લી, ખેડા અને મહેસાણા જિલ્લામાં સાત-સાત કેસ નોંધાયા છે. વાઇરલ એન્કેફેલાઇટિસથી અત્યાર સુધી પંચમહાલમાં 6, અમદાવાદમાં પાંચ, રાજકોટમાં ચાર અને અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં ત્રણ-ત્રણ બાળકોનાં મૃત્યુ થયા છે. આ...

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM)

views 10

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટીંગ - સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરીત ધોરણે GBRC ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે. અગ્ર સચિવ તથા કમિશનર આરોગ્ય દ્વારા દૈનિ...

જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM) જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM)

views 14

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ચાંદીપુરા વાઈરસ અને એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે, AES કેસની સમીક્ષા કરી હતી.  ચાંદીપુરા વાઈરસ અને AESના કેસની સ્થિતિની ચર્ચા અને સમીક્ષા બાદ નિષ્ણાતોએ ગુજરાતમાં નોંધાયેલા AES કેસના વ્યા...

જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM) જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM)

views 2

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્ર...