જૂન 12, 2025 9:41 એ એમ (AM) જૂન 12, 2025 9:41 એ એમ (AM)

views 15

આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા સરકારની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે એન.ડી.આર.એફ.ની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ - સૌરાષ્ટ્ર...

એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM)

views 15

“સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા

જનફરિયાદ નિવારણ માટેના “સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે. ગઇકાલે રાજ્યભરમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં 3 હજાર 700થી વધુ અરજીઓ મળી હતી તેમાંથી 50 ટકા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ ...

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 6

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 10

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ચેસ રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીની ગુજરાત રમતગમત સત્તામંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે જ્યારે મહિલાઓ માટેની ચેસ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડી  હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકા...

ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

views 9

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. પિતાની છત્ર છાયા ગુમાવનારી 111 દિકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા. સતત 15 વર્ષથી સમૂહ લગ્નના આ કાર્ય કરીને મહાદાન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે 16માં લગ્ન સમૂહમાં સામજિક સમરસતાના વાહક બન્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સુરત જવા માટે મુખ્યમંત્રી પર્યાવરણ મંત્રી મૂળભાઇ બેરા સાથે વંદેભારત ટ્રેનમાં ગાંધીનગરથી મુસાફરી કરીને સુરત પહોંચ્યા હતા. સંતો મહંતોની ...

ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો આરંભ કરવા સાથે અહીં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. સોમવારે સફેદ રણમાં સૂર્યાસ્તનો નઝારો નિહાળ્યા બાદ કોરિક્રિક ખાતે ચેરિયાના જંગલ વિસ્તારનું વિસ્તૃતિકરણના કાર્યોનું લોકાર્પણ કરશે.

ઓક્ટોબર 6, 2024 7:11 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:11 પી એમ(PM)

views 7

પંચમહાલ: મુખ્યમંત્રીએ ઓરવાડામાં આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો

‘વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે જનઆરોગ્ય સુખાકારી એ અગત્યનું પાસું છે.’ પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ઓરવાડા ખાતે આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને આયુષ્માન યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રીઅન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાન દ્વારા પ્રધાનમંત્રીએ નાગરિકોને આરોગ્ય રક્ષાકવચ આપ્યું છે.’ શ્રી પટેલે કહ્યું કે, ‘રાજયના આદિવાસી બહુલ વિસ્તારોમાં અદ્યતન હૉસ્પિટલો સાથે આરોગ્ય મહાવિદ્યાલયો પણ શરૂ કર...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 13

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM)

views 9

શિક્ષકોનાં ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના અભિવાદન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ1 રેશિયો ઘટ્યો છે. શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભ...