ડિસેમ્બર 29, 2025 10:36 એ એમ (AM)
7
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોની નિંદા કરી : ABSPLB
અખિલ ભારતીય શિયા પર્સનલ લો બોર્ડે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોની નિંદા કરી છે. બોર્ડે જણાવ્યું કે ઇસ્લામ કોઈપણ નિર્દોષ વ્યક્તિની હત્યાને સમર્થન કરતું નથી. બાંગ્લાદેશ અને નેપાળના ઉલેમા અને મુસ્લિમ વિદ્વાનોએ પણ લખનૌમાં શિયા પર્સનલ લો બોર્ડની વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી. બોર્ડના મહાસચિવ મૌલાના યાસુબ અબ્બાસે જણાવ્યું કે બેઠકમાં આતંકવાદની સખત શબ્દોમાં ટિકા કરવામાં આવી હતી, અને આતંકવાદ સામે મજબૂત ઝુંબેશ ચલાવવાની વિનંતી કરાઈ હતી.