ડિસેમ્બર 29, 2025 10:36 એ એમ (AM)

views 7

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોની નિંદા કરી : ABSPLB

અખિલ ભારતીય શિયા પર્સનલ લો બોર્ડે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોની નિંદા કરી છે. બોર્ડે જણાવ્યું કે ઇસ્લામ કોઈપણ નિર્દોષ વ્યક્તિની હત્યાને સમર્થન કરતું નથી. બાંગ્લાદેશ અને નેપાળના ઉલેમા અને મુસ્લિમ વિદ્વાનોએ પણ લખનૌમાં શિયા પર્સનલ લો બોર્ડની વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી. બોર્ડના મહાસચિવ મૌલાના યાસુબ અબ્બાસે જણાવ્યું કે બેઠકમાં આતંકવાદની સખત શબ્દોમાં ટિકા કરવામાં આવી હતી, અને આતંકવાદ સામે મજબૂત ઝુંબેશ ચલાવવાની વિનંતી કરાઈ હતી.

જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM)

views 22

બાંગ્લાદેશ: ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન નિર્દોષ જાહેર

બાંગ્લાદેશમાં, સુપ્રીમ કોર્ટે ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. BSS અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહમદની અધ્યક્ષતાવાળી અદાલતે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો જેમાં બેગમ ખાલિદા ઝિયાની શરૂઆતની પાંચ વર્ષની જેલની સજા વધારીને 10 વર્ષ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેમને દોષિત ઠેરવતો નીચલી અદાલતનો આદેશ પણ રદ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ આરોપીઓ સામે બદલો લેવા માટે દાખલ...

જાન્યુઆરી 15, 2025 1:17 પી એમ(PM)

views 18

બાંગ્લાદેશ: BNPની આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવાની માંગ

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNPએ માંગ કરી છે કે દેશની વચગાળાની સરકારે દેશના હિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ. BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ વર્ષના મધ્ય સુધીમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે ચૂંટણી યોજી શકાય છે. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશના અહેવાલ મુજબ, ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે સોમવારે રાત્રે પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. BNPના મહાસચિવે વચગાળાની સરકાર, ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોને આ વર્ષના મધ્ય સુધીમ...

ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM)

views 20

બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે. નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો હતો. 222 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશે મર્યાદિત 20 ઓવરમાં નવ વિકેટે 135 રન કર્યા હતા. મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન કર્યા હતા. ભારત વતી નિતિશ રેડ્ડીઅને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. અગ...

ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM)

views 29

INDvsBAN: ગ્વાલિયરમાં રમાશે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ

ભારત આજે ગ્વાલિયરમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ટીમમાં બે ટાચના ખેલાડીઓ છે. આ દરમિયાન શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ પહેલી મેચમાં જ જીતના વિશ્વાસ સાથે ઉતરશે જોકે બાંગ્લાદેશની ટીમ પણ ભારતને ટક્કર આપશે.

સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 31

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ આગામી તા. 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.

ઓગસ્ટ 5, 2024 10:33 એ એમ (AM)

views 15

બાંગ્લાંદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત, ઢાકામાં આજે વિદ્યાર્થીઓની વિશાળ રેલી

બાંગ્લાંદેશમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલા વિરોધપ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90 લોકોના મોત થયા છે, મૃતકોમાં 13 પોલીસકર્મીઓ સામેલ છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધ અને હાલમાં થયેલા વિદ્યાર્થીઓના મોત મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે. જેને પગલે રાજધાની ઢાંકા સહિત દેશના કેટલાક ભાગોમાં તણાવ અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. દેખાવકારો પ્રધાનમંત્રી શેખ હસિનાના રાજીનામાની માગ કરી રહ્યા છે. સરકારે ગઈકાલે ઢાંકા સહિતના કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાગુ કર્યો હતો. દરમિયાન વિદ્યાર્થ...