જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 14

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સ...

જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સોનમર્ગ મુખ્ય ટનલ, બહાર નીકળવાની ટનલ અને એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ...

જાન્યુઆરી 11, 2025 10:48 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:48 એ એમ (AM)

views 13

પાંચ વર્ષમાં ખાદ્ય-પીણાં, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચશે : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ભારતની ખાદ્ય અને પીણા, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની સંયુક્ત નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડસફૂડ પ્રદર્શનમાં બોલતા, તેમણે કહ્યું કે આ લક્ષ્ય 14 થી 15 ટકાના વિકાસ દર સાથે પ્રાપ્ત કરી શકાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર ખાદ્ય અને પીણા ક્ષેત્રને ઘણી સહાય આપી રહી છે અને હવે આ ક્ષેત્રમાં 100 ટકા FDI ને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, કૃષિ ક્ષેત્રને ટકાઉ બનાવવું એ સરકારન...

જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજ્ય મુલાકાતે જવાના છે, ત્યારબાદ તેઓ આવતા મહિને યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાજદૂતોના પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિ મેક્રોને આગામી AI સમિટને "કાર્યવાહી માટે સમિટ" તરીકે વર્ણવી, જેનો હેતુ કૃત્રિમ બુદ્ધિમત્તા પર અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રપતિ મેક્રોને એ પણ પુષ્ટિ આપી કે પ્રધાનમંત્રી ...

જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM)

views 22

અમિત શાહ આજે રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ માદક પદાર્થોના દૂષણને ડામવા અંગેના પખવાડિયાનો પ્રારંભ કરશે. જેમાં 44 હજાર કિલોગ્રામથી વધુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી ...

જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 13

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 2

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 7

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 6

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...