ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM)

views 8

શિક્ષકોનાં ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના અભિવાદન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ1 રેશિયો ઘટ્યો છે. શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભ...

ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયું છે. આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રી અમિત શાહ,ધર્મેન્દ્રપ્રધાન,શિવરાજસિંહ ચૌહાણ,અશ્વિની વૈષ્ણવ અને ડૉ મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ સંમેલનમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ,પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. બેઠકમાં નવા ફોજદારી કાયદાઓ...

જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM) જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM)

views 14

ભારતીય પેરા સ્વિમર જિયા રાય વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં

ભારતીય પેરા સ્વિમર જિયા રાય ઇંગલીશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં છે. 16 વર્ષનાં દિવ્યાંગ જિયાએ ઇંગલેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સનાં પોઇન્ટે દ લા કોર્ટે-ડ્યુન સુધીનું 34 કિલોમીટરનું અંતર 17 કલાક અને 25 મિનિટમાં કાપ્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ઓપન વોટર પેરા સ્વિમર છે અને ઓપન વોટર સ્વિમિંગમાં વિશ્વ વિક્રમ ધરાવે છે.

જુલાઇ 22, 2024 11:23 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:23 એ એમ (AM)

views 6

સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ, નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2023-24 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ દસ્તાવેજ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રાલયે લખ્યું છે કે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ મુખ્ય આર્થિક સલાહકાર આજે બપોરે પત્રકારોને સંબોધન કરશે. આર્થિક સર્વેક્ષણ એ દેશની અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ હોવાની સાથે ભવિષ્યના વિકાસનો અંદાજ આપે છે. ઉપરાંત અર્થતંત્રની સ્થિતિ, શક્યતાઓ તેમ...

જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM) જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM)

views 15

મહીસાગરમાં કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ, ૩ ચીફ ઓફિસરને ડીડીઓએ નોટિસ ફટકારી

મહીસાગરમાં સરવેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ અને ૩ ચીફ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી બાદ પણ મોન્સૂન રિપોર્ટમાં આર. સી. ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા હતા. તેમજ 7 જેટલા પાણીના લાઈન લિકેજ ને નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રિપેર કરવામાં આવ્યા નથી.જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ...

જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM) જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM)

views 3

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્ર...

જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM)

views 15

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઈન્ટરવ્યૂમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની પ્રાથમિકતા છે. SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની 24મી બેઠ...

જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM)

views 9

મુંબઇમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક

નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે NCP ના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે બોલતા, શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી. શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં મંડલ કમિશનની ભલામણોના અમલ કરવાના તેમના નિર્ણયનીપણ યાદ અપાવી હતી જેમાં શિક્ષણમાં અને સ્થાનિક ગવર્નિંગ બોડીઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની દરખાસ્ત કરવામાં આવી હતી.

જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ x પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિધ્ધિ હાંસલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે X પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વિશ્વ નેતાઓ કરતા ઘણા આગળ છે 100 મિલિયન ફોલોઅર્સ વટાવ્યા પછી, શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ વાઇબ્રન્ટ માધ્યમ પર આવીને ખુશ છે અને તેમના ફોલોઅર્સ દ્વ...

જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM)

views 13

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે ઘણા સ્થળોએ વાહનવ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઇ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્...